Friday, March 23, 2018

લાઈફ ઈન અ મેટ્રો_ #૨

Somewhere in New Zealand!
થોડા વર્ષ પહેલા શિશિર રામાવતના પુસ્તકફલકવિશે લખવાનો અવસર આવ્યો હતોત્યારે રેન્ડમલી પાનાં ફેરવતાં એક સરસ મજાની વાત જાણવા મળી હતી- એકલતા અને એકાંત. ઈંગ્લિશમાં લોનલિનેસ અને સોલિટ્યુડ. બંને શબ્દો વચ્ચેનો ભેદ સૌપ્રથમ મુંબઈમાં સમજાયો પણ ભારતથી બાર હજાર કિમીથી પણ વધુ દૂર આવેલા દક્ષિણ ગોળાર્ધના નાનકડા દેશે શબ્દોના અર્થ માત્ર સમજાવ્યા નહીં, પણ જીવાડ્યાયે ખરા. 

અહીં આવ્યા પછી એકલતાને એકાંતમાં અને એકાંતને એકલતામાં તબદીલ થતાં અનુભવ્યું છે. ખાસ કરીને કોઈ બુક વાંચતાં હોઈ અને વીતેલા સમયની વ્યક્તિ મનમાં ફરવા લાગે, એની સાથેના સમયને યાદ કરી આંખો ધૂંધળી થવા લાગે અને ઘણી વાર મન એક અફસોસથી ભરાવા લાગે કે કાશ!  આમ થયું હોત તો! 

મેટ્રો સિટીની લાઈફસ્ટાઈલની એક ખૂબી છે કે જ્યારે એકલતામાં મન ધૂંધવાતું હોય ત્યારે બહાર નીકળી અસંખ્ય લોકોના ટોળામાં ભળી જવાય, કોઈ પણ અપેક્ષા વિના અજાણ્યા લોકો મનને સધિયારો પૂરો પાડે. એવી રીતે એકાંતની પળોમાં પણ કોઈ પણ જાતના વિધ્ન વિના જીવવાની સ્વતંત્રા પૂરી પાડે. 

મજાની વાત છે કે અહીંના માહોલમાં જીવનને રિવાઈન્ડ કરવાની સ્વતંત્રતા છે અને જરૂર લાગે તો  ભાગને સુધારવાની કે પછી સંબંધને આવેશોથી મુક્ત કરવાની તક પણ આપે છે. 

મેટ્રો સિટીએ એક બીજા સરસ મજાના શબ્દથી મુલાકાત કરાવી- 'ક્લોઝર'.  શબ્દને જેટલું મહત્ત્વ મળવું જોઈએ એટલું કદી મળ્યું નથી. અહીં આવ્યા બાદ તૂટેલા-છૂટેલા સંબંધોને જે એબરપ્ટ એટલે કે ઓચંિતા વળાંકો મળ્યા હતા એેને હવે પ્રેમ અને જતનથી એક મુકામ પર લાવી હૃદય અને મનના ખૂણામાં સાચવવાની આઝાદી મળી. એકાંતની પળોમાં મન સાથેના વન-ટુ-વન એન્કાઉન્ટરથી એમાં સફળતાય મળી. એકાંત કુદરતે આપેલી એવી ક્ષણો છે, જેમાં ટાઈમ ટ્રાવેલની જેમ ભૂતકાળના દિવસોમાં મુક્તપણે વિહરી શકાય અને એટલું નહીં, એક ચિત્રકારની જેમ કલ્પનાની છબી પણ ઊભી કરી શકાય. વ્યક્તિ, સમયની તીવ્ર લાગણી અને પીડાના અવસરો અંતે માત્ર એક સુખદ અનુભવમાં ફેરવાય એકાંતની ભેટ છે. હા, કદાચ એકલતામાં હજીય ક્ષણો પીડા આપી શકે અથવાજો એમ ના બન્યું હોત તો…’ના વિચારોમાં મનને ગૂંચવી શકે, પણ ક્લોઝરથી થયેલા મન અને લાગણીના સમાધાનની સામે ક્ષણિક આવેગો ઘણાં નબળા પડે છે.  

ક્યારેક એવું અનુભવ્યું છે કે એક ફિલ્મ જોઈ હોય ત્યારે ગમે પણ ફરી જોઉ તો ગમી જાય? ઘણું વિચાર્યા બાદ મને એવું તારણ મળ્યું કે તમે જે વ્યક્તિ સાથે ફિલ્મ માણો એના વ્યક્તિત્વની અસર પણ જાણતા-અજાણતાં આપણા પર પડે છે અને એટલે એક વસ્તુ વિશેના આપણા અભિપ્રાયો બદલાતા હોય છે. જો કે, એકાંત એવું માધ્યમ છે જ્યાં કોઈના પણ પ્રભાવ વિના નિષ્પેક્ષતાથી વીતેલા સમયને માપી અને માણી શકાય છે અને એટલે ક્લોઝરમળી શકે છે અને એ દરેક સંબંધનું જરૂરી પાસું છે. 

હવે તો હું એવું પણ અનુભવું છું કે એકાંતની પળો મન અને હૃદયની લાગણીઓનો યોગ છે અને એટલે કદાચ એક અંત્યબિંદુ પર પહોંચવા મદદ કરે છે. સો થેન્ક્સ ટુ મેટ્રો સિટી કે જ્યાં ભીડની વચ્ચે પણ એકલતા અનુભવાય છે અને અંતે એકાંત સુધી પહોંચી શકાય છે.  

Till next time X