Saturday, March 9, 2013

યોગ-વિયોગ રીવ્યુ



કેટલાય વખતથી મનમાં ઘૂંટાતા આ પાત્રો આખરે પાના પર ઉતાર્યા છે.યોગ-વિયોગ-કાજલ ઓઝા વૈદ્યના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. ૩ ભાગમાં વહેચાયેલી આ સમગ્ર કથાના ઉતાર-ચઢાવ જિંદગીના અનેક પાઠો ખૂબ સાહજીકતાથી શીખવી જાય છે.આથી આવી ઉત્તમ કથાના રીવ્યુને મેં પણ બે ભાગમાં વહેચ્યું છે.અહી લખેલા તમામ વિચારો વાર્તાના આધારે, મારા અંગત અભિપ્રાય અને સમજ છે.મારા આ પ્રયાસ થકી માત્ર વાર્તાના હાર્દને લોકો સમક્ષ મૂકું છું.









    ભાગ-૧              

 યોગ-વિયોગ.જાણે બે શબ્દમાત્ર પર આખી વાર્તા સંબંધોના તાણાવાણા ગૂંથીને ખૂબ સુંદર રીતે કંડારવામાં આવી છે.વાર્તાની શરૂઆત આધેડ વયના વસુંધરા સૂર્યકાંત મહેતા-વસુમાથી થાય છે અને સાચું કહું તો પાત્રની આસપાસ આખી વાર્તાના અંશો વણી લેવામાં આવ્યા છે,૨૫ વર્ષ સુધી "ત્યાગતા" કહેવાતા વસુમા સમગ્ર દેશના છાપાઓમાં એમના પતિ એટલે કે સૂર્યકાંત મહેતાને ઘર પાછા વળે માટેની જાહેરાત, ઘરના એક પણ સભ્યની જાણ બહાર,આપે છે.વિનંતી કે આજીજી કહી શકાય એવી જાહેરાતમાં સૂર્યકાંતને પાછા વળવા માત્ર ૪૮ કલાકની મુદત આપવામાં આવી હોય છે.પરંતુ ૪૮ કલાકપછી પોહ્ચેલા સુર્યકાંતનું શ્રાદ્ધ અને ત્યારબાદ એમનું વસુમા જોડે થયેલું મિલન અને વસુમા પાસે શ્રાદ્ધ માટેનો ખુલાસો તમામ ઘટનામાં વાસુમાની સ્થિરતા,બુદ્ધિમતા અને નિર્ણયની સત્યાર્થતા ખરેખર કઈક નવી શીખ આપી જાય છે. પાત્રોની વાત કરીએ તો, વસુમા દીકરા ને દીકરીને બચપણથી, પિતાના છોડી ગયા બાદ ખૂબ સંસ્કાર અને આત્મસભર રહે રીતે ઉછેર્યા. મોટો અભય, ત્યારબાદ અજય તથા અંજલિ અને અલય કે જે હજી તો વસુમાના ગર્ભમાં આકાર લઇ રહ્યો હતો ને સૂર્યકાંત પરિવારને છોડી જતા રહ્યા. સમગ્ર કથા ભાગમાં વહેચાયેલી છે. જેથી દરેક યુગલની વ્યક્તિગત વાર્તા સાથે યોગ વિયોગને વર્ણવવાનું પસંદ કરીશ.

                 
              શરૂઆત અભય અને એની પત્ની વૈભવીથી કરીશ."અભય" નામ હોવા છતાં હમેશા પત્નીથી દબાયેલો, એની "હા"માં "હા" કહેનારો અને શાંતિ જાળવવાના ભોગે એને ખૂબ પ્રેમ કરનારો પતિ હતો.જયારે વૈભવી આજકાલની ટીવી સિરિયલમાંથી કોઈ પણ એક નેગેટીવ પાત્ર લઈએ, એમાંની એક હતી.વસુમાની બુદ્ધિ, વિચારક્ષમતા અને સ્વસ્થતા તે કદી સમજી શકે એમ હતું. ઘરમાં બનતી દરેક ઘટનામાં પોતાનો સ્વાર્થ અને એમાં થતી જીત એના માટે સર્વસ્વ હતું.વૈભવી "શ્રીજી વિલા" અભયના પૈસાથી ચાલે છે અને પૈસા એના ધનવાન પિતાએ અભયને સેટ કરવામાં જે મદદ કરી એના ભાગરૂપે મળી રહ્યા છે એવા મિથ્યાભિમાનમાં જીવી રહી હતી અને લગ્ન પણ વૈભવીની જીદ થકી થયા હતા એમ કહીએ તો કશું ખોટું નથી.અભયનું પુરુષાર્થ, સૌષ્ઠવ અને કામ પ્રત્યેની કટિબદ્ધતા વૈભવીને આકર્ષિત કરી ગઈ હતી અને પિતા વિનાના ઘરમાં વસુંધરા જેવી માતાને થોડી આર્થિક જવાબદારીમાંથી મુક્ત કરવા અભયે તડજોડ સાધી દીધો.આપણા સમાજમાં ખરેખર એક એવી અવ્યાજ્બી માન્યતા છે કે પતિ પત્ની વચ્ચેની ગેરસમજ અને ખૂટતા પ્રેમને સંતાન દ્વારા પૂરી કરી શકાય અને  મોટે ભાગના કુટુંબ માટે માન્યતા ખોટી ઠરે છે અને સંતાન પણ મા-બાપ સાથે સંબંધના ચક્રવ્યુહમાં પિસાય છે.


                                અહી, અભયે પણ વૈભવીના તમામ દુર્ગુણોને અપનાવી, એક મધુર સંબંધ બનાવવાના  તમામ પ્રયત્નો કરી જોયા પણ વૈભવી એની નાની નાની જીતની ખુશીઓમાં સતત થતી અભયના મન સાથેની હાર અને એથી સંબંધોમાં થઇ રહેલા પોલાણ જોઈ નહિ શકી. અભય કાર્યનિષ્ઠ અને  વસુમાના સંસ્કારોથી સીંચેલું છોડ હતું પરંતુ સ્ત્રીનો સાથ જેમ દરેક પુરુષ ઝંખે તેમ લગ્નથી મળી રહેલા સતત અપમાન અને ઉચાટમાં વારંવાર અભય આખી આખી રાત ઓફિસમાં પસાર કરતો.એવામાં એક રાતે ખૂબ દારૂ પીધેલી હાલતમાં એની સેક્રેટરી પ્રિયા સાથે એના લાગણીના તાર બંધાયા. પોતાનાથી ૧૦ વર્ષ મોટા અભયને મનોમન પ્રેમ કરવા લાગી હતી પણ રાતે અભયની મનઃસ્થિતિ જોઈ પોતાને રોકી નહિ શકી અને બંને વચ્ચે પ્રણયની શરૂઆત થઇ.અભય પણ પોતાના સ્વાભિમાન અને મનના થતા વારંવાર ટુકડાઓને પ્રિયાના સંગાથે જોડવાની કોશિશ કરતો રહ્યો.પ્રિયા સાથે તમામ વસ્તુ કરી શકતો જે વૈભવી સાથેના લગ્નજીવનમાં ઝંખતો હતો.સમજ, પ્રેમ, કાળજી અને આત્મસમર્પણ. અહી એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. કોઈપણ પુરુષને લગ્નેતર સંબંધ બાંધવાનો કોઈ હક નથી વાત એકદમ સાચી પણ સ્ત્રી દ્વારા થતા માનસિક અને શારીરિક, હા, શારીરિક શોષણ સાથે કેમ પુરુષને મૂઢ બનીને જીવવા મજબૂર કરવામાં આવે છે? વડીલોની સમજ અને બુદ્ધિ ઉમરના અમુક પડાવ સુધી   માનવામાં સંતાનનું ભલું છે કેમ આજના માતા-પિતા નથી સમજી શકતા? અને કાયદામાં સ્ત્રી માટેની જોગવાઈઓનું મને માન છે પણ સાથે સાથે  સ્ત્રી અત્યાચારોથી પીડાતા પુરુષની હાલત વધુ ખરાબ કરવા  કાયદાને ઢાળ બનાવતી સ્ત્રીઓ માટે અત્યંત ઘૃણા પણ છે. સંબંધને મજબૂરીથી નિભાવવાના ખોખલી સમજને ટુંકાવી ડાયવોર્સને જ્યાં સુધી માનભરી નજર આપવામાં નહિ આવે ત્યાં સુધી આવી અનેક પ્રિયા, વૈભવી અને અભય સમાજમાં બનતા રહેશે. દરેક લગ્નેતર સંબંધ પુરુષના સ્ત્રીઆકર્ષણ કે નબળા સ્વભાવનું પરિમાણ નથી. સમયના ચક્રમાં અભય વૈભવી સામે પ્રિયાની સચ્ચાઈ સ્વીકારે છે અને ખૂબ નિર્ભયતાથી સમગ્ર સત્યને જીંદગી સાથે જોડી દે છે.હાથમાંથી છૂટતા અભયના વિયોગને વૈભવી સહી નથી શકતી.પહેલા  થોડા ધમપછાડા , નાટક અને પછી વસુમાના સંગાથમાં સંજોગો સાથેના સમાધાનથી પરિસ્થિતિને શાંતિથી સ્વીકારે છે. વૈભવીના બદલાયેલા રૂપ સાથે અભય જિંદગીના એવા મુકામ પર આવી, થંભી જાય છે કે જ્યાંથી પાછળ વળી શકે એમ નથી.પ્રિયાની જવાબદારી સાથે સાથે પ્રેમ હતો જયારે બદલાયેલી વૈભવી એના લગ્નજીવનની સચ્ચાઈ અને સંતાનોની માતા હતી. એક પુરુષ સ્ત્રી કરતા વધુ ઈમોશનલ અને સૈદ્ધાંતિક હોય છે એમાં કોઈ બેમત નથી. લગ્નેતર સંબંધમાં પુરુષ ત્યારે પ્રવેશે છે જયારે સ્ત્રી દ્વારા વારંવાર હડધૂત કરાય છે. એક પુરુષ માત્ર સ્ત્રીનો સાથ, એના પ્રેમ અને એનું માન ઈચ્છે છે. હા, ઉપરાંત એવા પણ ઘણા પુરુષો છે જે સ્ત્રીને પગની જૂતી માને છે એવા પુરુષ મારી દ્રષ્ટિ પુરુષ કહેવાય નહિ અને તમામ ચર્ચામાં હું કહી પણ લગ્નેતર સંબંધની તરફેણ નથી કરતી. માત્ર પુરુષને સમજવાનો એક પ્રયાસ અને નવલકથાના અંશમાંથી પુરુષની લાગણીઓના નિચોડ લખ્યો છે.

                  વાર્તાના અંત ભાગમાં એક અંશમાં પાત્રો દ્વારા થતી વાતચીતમાં સંબંધના પરિણામ વિષે આલેખન કર્યું છે.જેમાં વૈભવી ત્રિકોણીય સંબંધનો અંત ત્રણમાંથી એકના કુદરતી મૃત્યુને ગણાવે છે.જયારે ત્રણ પૈકી એક દુનિયામાંથી વિદાય લેશે ત્યારે કોઈ એક સંબંધ ફરીથી જીવશે.લેખિકાના દામ્પત્યના અંત સાથે હું સહમત નથી. માણસ પરિસ્થિતિ ઘડે છે અને માણસે પરિસ્થિતિને એક મુકામે લઇ જવી પડે. અહી ત્રિકોણીય સંબંધને પ્લાસ્ટરમાં બંધાયેલા હાથની ઉપમા આપી કહેવામાં આવ્યું છે કે સમયરૂપી પ્લાસ્ટરમાં સંબંધરૂપી હાથ એની જાતે સારો થશે જે મારા મંતવ્યથી અયોગ્ય છે

                 હવે વાત કરીએ અજયને જાનકીની. અજય એક માત્ર સંતાન હતું જેણે આખી આખી રાત ઘરના  ઓટલા પર સૂર્યકાંતની રાહ જોઈ, આંસુ વહાવી રહેલા વસુમાની સંગાથે હતો.એની ઉમર પણ એવી હતી કે મા રડીશ નહિ, રડીશ નહિ માસિવાઈ બીજું કશું પણ કહી શકતો. પ્રમાણમાં નરમ અને વસુમાના સિદ્ધાંતોને પુરેપુરો જીવનમાં ઉતારનારો અભય, કદાચ ભ્રષ્ટ અને અનૈતિક દુનિયામાં એટલે સફળ થઇ શક્યો.વકીલાતનું ભણ્યો હોવા છતાં, એના સિદ્ધાંતો એને ખાસ કમાણી કરવામાં મદરૂપ નહિ થતા અને એટલે જાનકી પણ એક શાળામાં નોકરી કરતી વાત વારેવારે દંપતી વચ્ચે નિરાશાનું કારણ બનતી. અભય નિષ્ફળતા પોતાના પુરુષાર્થ સાથે જોડી ઘણીવાર એક્યની પળે અટકી જતો. જાનકી વસુમાની છબી હતી. આટલી નાજૂક મનઃસ્થિતિમાં અભયને ખૂબ કાળજીથી સંભાળતી. વૈભવી જાનકીના અનાથાશ્રમના   ઉછેરને લઈને ઘણીવાર એને ખરી ખોટી સંભળાવતી.અજય એક કેસ માટે અનાથાશ્રમમાં પહોચ્યો  અને ત્યાં બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઇ અને ત્યારબાદ લગ્નમાં પરિણમી. પણ વૈભવી સુંદર સંબંધને ક્યારેય સમજી શકી અને જાનકીને ઉતારવા કે નીચે પાડવા કોઈ મોકો   છોડતી. જાનકી વસુમા પાસેથી સંયમ, સ્થિરતા અને સહનશીલતા જેવા ઘણા ગુણો શીખી હતી અને ઘરમાં એને વૈભવી સિવાઈના તમામ સભ્યોની નજીક લઇ ગઈ હતી. અખબારની જાહેરાત પછી, વસુમાના ૪૮ કલાકની મુદત પૂરી થતા, શ્રાદ્ધથી લઈને સૂર્યકાન્તના પાછા વળવાની તમામ ઘટનામાં તુટતા, વિખેરાતા અજયને જાનકી ખૂબ શાંતિ અને કુશળતાથી સંભાળ્યો.પરંતુ સતત નિષ્ફળતાનો માર અને વૈભવીના કડવા બોલ વધુ સહન કરી શકે એમ   હતો અને એટલે સૂર્યકાંત સાથે અમેરિકા જઈ ત્યાં આગળની જિંદગી જીવવાનો મહત્ત્વનો નિર્ણય, વસુમા સાથે વાત કર્યા વિના કરી શક્યો. આઘાત જાનકી માટે અકલ્પ્ય હતો પણ છતાં વસુમાની સમજ અને હિંમત જાનકીને અજય સાથે અમેરિકા લઇ ગઈ. વસુમાએ જાનકીને અમેરિકામાં ફરીથી જિંદગી શરુ કરી રહેલા અજયને પોતાનાથીય વધુ સાચવવા અંગે સૂચવ્યું હતું. માથી જોડાયેલા અજયને અમેરિકામાં એમનાથી અંતર અનેશ્રીજી વિલાયાદ આવતા ફરીથી નિષ્ફળતાની લાગણી અનુભવા લાગી અને સમયે જાનકીએ ફરીથી વાસુમાની  દુરંદેશીનો ખ્યાલ આવતા મનોમન પ્રશંશા કરી,અજયને ફરી અંધારામાં જતા ઉગાર્યો.
  દંપતીની કથા સૌથી સામાન્ય, પણ સિદ્ધાંતોની હારથી મળતી નિષ્ફળતા અને એવા સમયમાં જીવનસાથીને ખરા અર્થમાં સાકાર કરતી સંગીનીને ખૂબ સચોટ રીતે રજૂ કરવામાં આવી છે(ક્રમશ:)

Sunday, March 3, 2013

તસ્વીર-યાદોમાં કંડારાયેલી એક ક્ષણ





                                રવિવારનો દિવસ હતો. ગરમીના દિવસો અગનગોળા સાથે ગરમ,રેતભરેલ હવા પણ પુરજોશમાં ચલાવી રહ્યા હતા. વાદળો તો સૂર્યના કોપથી જાણે ક્યાં સંતાઈને બેઠા હતા! દાઝતા કિરણોના ડરથી ઉનાળાની ભરબપોરે શહેરમાં ગજબની શાંતિ પથરાયેલી હતી.બરફ્ગોળાના ટિન-ટિન અને કોઈ સંગીતપ્રેમીના વાંસળીના સૂર સિવાય રસ્તા બિલકુલ સૂમસામ હતા.ઘરના કામો પતાવી, રવિવારની બપોરે ,આરાધ્યા, ઘરના એવા એક ભાગમાં પ્રવેશી કે જ્યાં યાદોની અનેક શ્રુંખલા એને ઘેરી વળવાની હતી. “આરાધ્યા, આપણું પેલું  પ્રિય પુસ્તકયુ કેન વિનક્યાં મુક્યું છે? ક્યાંયે જડતું નથી. કાલે એક સમારંભમાં એકાદ વાર્તા એમાંથી કહેવાની ઈચ્છા છે.” વિહાને તો કહેતા કહી દીધું.હવે, પુસ્તકોના ભંડારમાંથી ક્યાં શોધવું એને? મનમાં વિચારતી વિચારતી પુસ્તકોના અલગ બનાવેલા ઓરડામાં પ્રવેશી. ઓરડામાં જાણે જીવ આવ્યો હોય એમ બધા રજકણો સળવળી ઉઠ્યાં.ધૂળના સુક્ષ્મ કણો, જે કેટલાંય સમયથી ગાઢ નિંદ્રામાં હતા ઓરડાનો દરવાજો ખૂલતાની સાથે જ આમતેમ ઝડપથી ગતિ કરવા લાગ્યા. રજકણોના ઓચિંતાહુમલાથીઆરાધ્યા ખાંસવા લાગી.મોઢા પર ,નાક આગળ રૂમાલ મૂકી પુસ્તકો પર નજર દોડાવા લાગી. ઓહ્હો, કેટલું વાંચતી હતી હું પહેલા!! લગ્ન પછી તો જાણે મારા મિત્રો- મારા પુસ્તકો દૂર થઇ ગયા!! હમેશા જાતે પોતાના પુસ્તકો શોધતા વિહાને આજે એટલે મને કહ્યું હશે! એના ચહેરા પર સ્મિત રેલાય ગયું. એવામાં સંબંધોને ખરા અર્થમાં સમજાવતું, એનું પ્રિય પુસ્તક દેખાતાં ઝડપથી એને કાઢવા ગઈ ને ત્યાં એના પગ પાસે એક કાગળનો ટુકડો પડ્યો. એણે જોયું તો કોઈ જૂની તસ્વીર હતી. હાથ વડે એના પર જામેલી ધૂળ હટાવી તો એના ચહેરા પર, મનમાંથી પણ જાણે સમયનું કોઈ આવરણ હટ્યું હોય એવી ભાવરેખા પલટાઈ.

                                ચાર વર્ષ પહેલાની ઘડી આજે કાગળના ટુકડા મારફતે ફરી જીવંત થઇ એની સામે તરવરી રહી.એના પાપા, રામામૂર્તિ પટેલ અને એનું જીવન-એનું સર્વસ્વ- વિહાનના આલિંગનની પળોને, નાના ભાઈ આલોકે મસ્તીમાં અમસ્થી તસ્વીરમાં ઉતારી હતી. એને ક્યાં ખબર હતી કે માત્ર આલિંગન નથી પણ એના પ્રેમના સ્વપ્નોને લાગેલી મહોર હતી.કેટલું રમ્ય દ્રશ્ય હતું !! ફરી તસ્વીર જોઈ ને ભૂતકાળની લપસણી પર સરકવા લાગી.સાત વર્ષ પહેલા વિહાનને મળી હતી.દેખાવમાં સામાન્ય પણ વિચારશક્તિ અને સમજદારીમાં અન્યોથી બિલકુલ અસાધારણ એવા વિહાનને આરાધ્યા મનોમન પ્રેમ કરવા લાગી હતી. શરમાળ સ્વભાવ અને પ્રેમ વિશેની નાસમજીને કારણે સામેથી પોતાની લાગણી કદી વ્યક્ત કરી શકી. પણ વિહાને આરાધ્યાનો ચહેરો અને મન બંને વાંચી લીધા હતા. પહેલીથી કેટલો સમજદાર હતો!!આરાધ્યાને એકવાર ફરી વિહાન માટે ગૌરવ થઇ આવ્યું.

                                એકવાર આરાધ્યા કોલેજની લોબીમાં એમ શૂન્યમનસ્ક ઉભી હતી. દૂર આકાશમાં કોણ જાણે કોની આકૃતિ કંડારી રહી હતી. એવામાં વિહાન ત્યા આવી ચઢ્યો અને આરાધ્યાનો હાથ ઝાલી કહેવા લાગ્યો,” આરાધ્યા, મારા જીવનમાં જવાબદારીનો ઘણો બોજો છે.પપ્પાની ગેરહાજરી-અપમૃત્યુ- મારી માતાને પળે-પળે શૂળ માફક ખૂંચે છે.હું એમનો આધારસ્તંભ છું.મારા જીવનના ધ્યેયો નક્કી છે. શું તું સફરમાં સાથ આપવા તૈયાર છે? ” કેટલી ગભરાઈ ગયેલી હું! આરાધ્યાના શરીરમાં ફરી લાગણી વીજળી રૂપે પ્રસરી ગઈ.શું જવાબ આપુના અવઢવમાં ફસાયેલી આરાધ્યા માત્ર નીચું જોઈ રહી. બે ઘડી વિચાર્યું, સામે આવેલા જિંદગીના વળાંકને ઉઘાડી આંખે પાર કરવાની ક્ષમતા રહી.એને આંખો મીંચી દીધી. માત્ર આંસુઓ વિહાનને એનો ઉત્તર આપવા નિમિત્ત બન્યા. એને આરાધ્યાને બે  હાથ વડે ઝીલી લીધી અને ખૂબ પ્રેમાળ સ્વરે કહ્યું, “ તું પણ ઈચ્છતી હતી ને? એક વાર કહી તો જોતે ! આટલા વર્ષ કોલેજમાં સાથે હતા, તેસાથેવિતાવી શકત ને!!” બંને હસી પડ્યા.આજે પણ હાસ્ય એના મુખ પર ફરી રેલાયું.

                                ફરી એણે હાથમાં રાખેલી તસ્વીર નિહાળી. વિચારોના વૃંદાવનમાં મ્હાલવા લાગી.એક મૂંઝવણ તો વિહાને પૂર્ણ કરી. પણ ઘરવાળાને શી રીતે સમજાવવા??! હંમેશાં વિહાનને પૂછતી અને વિહાન એને પોતાના પર શ્રદ્ધા રાખવા કહેતો. ઘણીવાર આરાધ્યા ચિડાતી, લડતી પણ વિહાન સંયમ જાળવી રાખતો. પરંતુ હવે કોલેજના અંતિમ દિવસો હતા.વિહાને આરાધ્યાને ઘરમાં જાણ કરવા કહ્યું.કેટલો નાજુક સમય હતો ! દિવસોનું સ્મરણ કરતા કરતા એના ચહેરા પર થોડી કરચલી પાડવા લાગી. માતા-પિતાને આટલી મહત્વની વાત કઈ રીતે કહેવી એને સમજાવતું નહોતું.અત્યારે પણ જાણે અવઢવ હોય એમ એની મુખાકૃતિ બદલવા લાગી.છેવટે, સાત પાનાની લાંબી ચિઠ્ઠી લખી એણે પાપાના મોબાઈલ સાથે મૂકી હતી અને પરિણામની રાહ જોવા લાગી હતી.

                                શરૂઆતમાં ડઘાઈ ગયેલા, થોડા ચિંતિત અને થોડા ખુશ એવા માતા-પિતાની લાગણી સમજાઈ એવી સ્થિતિ ક્યાં હતી! બરાબર અઠવાડિયું થયેલું પાપાને નિર્ણય લેતા.આરાધ્યા વિચારમાં પુરેપુરી ડૂબી ગઈ હતી. આખરે દિવસ આવ્યો. પાપા વિહાન અને એના મમ્મીને ઘરે બોલાવ્યા.બધા પરિવારજનોની હાજરી, મારા વિહાન સમક્ષ સૌની નજર અને નજરમાં અનેક પ્રશ્નો.એકએક  મિનીટ ભારે પડી રહી હતી. વાતચીતનો દોર શરુ થયો. વિહાનની સુઝબુઝથીએ સૌને પસંદ પડી રહ્યો હતો. આમ છતાં, પહેલી નજરમાં એના સાદા અને એકદમ સામાન્ય દેખાવથી પાપના ચહેરા પરનો એક અણગમો આરાધ્યા નોંધવાનું ચુકી નહિ. પરંતુ, ઉમરના પ્રમાણમાં એની પરિપક્વતા, કોઈનેય રીઝે એવી હતી. દુનિયાના અનુભવો અને જવાબદારીઓથી ઘડાયેલા વિહાનને કોઈ નકારી શકે એમ હતું નહિ.પરિસ્થિતિ હળવી બની. વિહાને બધાના હૃદયરૂપી રણભૂમિ પર ફતેહના ઝંડા લહેરાવ્યા હતા. પાપા પણ ખુશ થઇ ઉઠ્યા અને વિહાનને દ્રઢ આલિંગન આપી બોલ્યાવેલકમ ટુ માય ફેમીલી”. ક્ષણ આલોકે તસ્વીરમાં ઝીલી લીધી હતી. ફરી એક વાર તસ્વીરને જોઈને  આરાધ્યાની આંખોમાં ખુશીઓનું ઝરણું વહેવા લાગ્યું. બારણાં પાસે ઉભેલો વિહાન કેટલીય ઘડીથી એને નિહાળી રહ્યો હતો.એની આંખોમાં આંસુ જોઈએ એના તરફ દોડી આવ્યો. એના ચહેરાને સહેજ ઉંચો કરી આંસુ લુછી એક કદી ના છુટે એવું આલિંગન આપ્યું.

                                જીવનમાં કોઈ વિષે સ્વપ્નો સેવવા, એને પામવો અને ત્યારબાદ એની સાથે બાકી રહેલા જીવનના શમણા સેવવા દરેક સ્ત્રીના જીવનની અવિસ્મરણીય ઘટનાઓ છે.આરાધ્યા દરેક તબક્કાને ભરપૂર જીવી હતી અને આજે વિહાન સાથે એના દરેક સ્વપ્નો ઘડાતા જોઈ, જીવનને તૃપ્ત થતા જોઈ રહી હતી.